AnandToday
આણંદ અક્ષરફાર્મ ખાતે પૂજ્ય ભગવતચરણ સ્વામીએ  શ્રી શ્રી રવિશંકર મહારાજનું અભિવાદન કર્યું
Thursday, 16 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદ અક્ષરફાર્મ ખાતે પૂજ્ય ભગવતચરણ સ્વામીએ શ્રી શ્રી રવિશંકર મહારાજનું અભિવાદન કર્યું

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના પ્રસાદીભૂત શાલ અને હાર કર્યા અર્પણ

આણંદ
આણંદ અક્ષરફાર્મ ખાતે આજે શુક્રવારના રોજ આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર મહારાજ દ્વારા “ એજયુ યૂથ મીટ” નું આયોજન હાથ ધરવામાં આવેલ હતું. આ પ્રસંગે સાળંગપુર સ્થિત પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે સસ્નેહ શ્રી શ્રી
 રવિશંકર મહારાજ માટે પ્રસાદ, શાલ અને હારને પ્રસાદીભૂત કર્યા હતા, જે આજ રોજ અક્ષરફાર્મ ખાતે પૂજ્ય ભગવતચરણ સ્વામીએ શ્રી શ્રી ને અર્પણ કરીને સ્વામીશ્રીની શ્રી શ્રી પ્રત્યેના સૌહાર્દ ભાવનાની યાદ આપી હતી. 

આ પ્રસંગ શ્રી શ્રી રવિશંકર મહારાજે પણ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને સૌ સંતોનો સ્નેહ, આદર અને સન્માન સ્વીકારીને કૃતાર્થતા અનુભવી હતી.