AnandToday
બેરોજગાર યુવકો માટે રોજગારીની ઉત્તમ તક, પેટલાદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે
Tuesday, 11 Apr 2023 18:30 pm
AnandToday

AnandToday

બેરોજગાર  યુવકો માટે રોજગારીની ઉત્તમ તક, પેટલાદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

જિલ્લાના રોજગાર ઇચ્છુક ઉમેદવારોને ભરતી મેળાનો લાભ લેવા અનુરોધ

આણંદ,

 આણંદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા આણંદ જિલ્લાના રોજગારવાચ્છું ઉમેદવારોને રોજગારી અને નોકરીદાતાને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર મળી રહે તે માટે આગામી તા.૧૯/૦૪/૨૦૨૩ બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે પેટલાદ તાલુકાના સુણાવ સ્થિત આર. કે. ટેકનિકલ ઇન્સ્ટીટ્યૂટ (આઈ.ટી.આઈ) ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ ‌છે.

આ રોજગાર ભરતી મેળામાં આણંદ તથા અન્ય જિલ્લાના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની વયના એસ.એસ.સી, એચ.એસ.સી, ડિપ્લોમા ડિગ્રી તથા કોઇપણ અભ્યાસક્રમ સાથે સ્નાતક, અનુસ્નાતક જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકે છે. 

વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીનાં હેલ્પ લાઈન નંબર ૬૩૫૭૩ ૯૦૩૯૦ ઉપર સંપર્ક કરવા આણંદના જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું છે.

*****