AnandToday
આણંદ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાનુ સાંસદના હસ્તે અનાવરણ
Monday, 25 Sep 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાનુ સાંસદના હસ્તે અનાવરણ 

સાંસદ, ધારાસભ્ય,જીલ્લા ભાજપ પ્રમુખ સહિત ભાજપના નગર સેવકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઇ

આણંદ ટુડે I આણંદ
પ્રખર રાષ્ટ્રવાદી, શ્રેષ્ઠ સંગઠક, એકાત્મ માનવવાદ તથા અંત્યોદયના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિતે આણંદ શહેર ખાતે તૈયાર કરાયેલ પ્રતિમાનુ આણંદના સાંસદ મિતેશભાઇ પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત આણંદ જિલ્લા સાંસદ  મિતેષભાઇ પટેલ, જિલ્લા પ્રમુખ  રાજેશભાઇ પટેલ, ધારાસભ્ય યોગેશભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી સુનિલભાઇ શાહ, નગરપાલિકાના પ્રમુખ  જીગ્નેશભાઇ પટેલ, ઉપપ્રમુખ  સુમિત્રાબેન પટેલ, આણંદ શહેર પ્રમુખ  મયુરભાઇ પટેલ, મહામંત્રી  સ્વપ્નિલભાઇ પટેલ,  અમિતભાઇ ઠાકોર, પૂર્વ પાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ સહિત કાઉન્સિલરો દ્વારા પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.