AnandToday
આણંદના સાંસદે સિદ્ધિ વિનાયક મંદિરે શીશ ઝૂકાવ્યું
Wednesday, 27 Sep 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદના સાંસદે  સિદ્ધિ વિનાયક મંદિરે શીશ  ઝૂકાવ્યું 

જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીએ પણ શ્રીજીના દર્શન કરી ધન્યતા અનુભવી

બાકરોલ સ્થિત આત્મીય વિદ્યાધામ ખાતે જલજીલણી ઉત્સવ પ્રસંગે સંતો મહંતોના આશીર્વાદ લીધા

આણંદ ટુડે I આણંદ
આણંદ સ્થિત સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ગણેશ મહોત્સવ નિમિતે સાંસદશ્રી મિતેષભાઈ પટેલે ભાવિક ભક્તોની સાથે સહભાગી થઈને દર્શન, આરતી અને પૂજન કરવાનો લાભ લીધો હતો.
આ પ્રસંગે જિલ્લા પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રીશ્રી જગતભાઈ પટેલ, શ્રી સુનિલભાઈ શાહ ઉપસ્થિત રહી દર્શન કરી આશીર્વાદ લીધા
વધુમાં આણંદ શહેરના બાકરોલ સ્થિત આત્મીય વિદ્યાધામ ખાતે જલજીલણી ઉત્સવ તથા સ્વાગત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મંદિરના મહંત પૂજનીય શ્રી પ્રબોધ સ્વામી, સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, મહામંત્રીશ્રી જગતભાઈ પટેલ, શ્રી સુનિલભાઈ શાહ, જિલ્લા કોષાધ્યક્ષ શ્રી સુનિલભાઈ શાહ, શ્રી રોશનભાઈ પટેલ, CVM ના ઉપપ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.